Tuesday, 10 January 2012


મોહ્યું મન મારું

Shreenathji Bhajan Kirtan Mangala Geet












શ્રી બાલુડા બાળ કૃષ્ણ જોઇને રે,
મોહ્યું મન મારું...
આજ રે ગઈતી હું તો નંદના ભુવન માં,
સુધ બુધ સાન આવી ખોઈને રે,
મોહ્યું મન મારું...
રાત દિવસ મને રટણ લાગ્યું એનું,
કહેવાતું નથી  દુઃખ કોઈને રે,
મોહ્યું મન મારું...
ખાન પાન ગાન તાન કશું નથી ગમતું,
ઘરમાં ફરું છું ઘેલી થઇ ને રે,
મોહ્યું મન મારું...
દાસ વૈષ્ણવ ને થઇ છે આકુરતા,
દર્શન વિના રહું છું રોઈને રે,
મોહ્યું મન મારું...

No comments:

Post a Comment