Monday, 23 January 2012


ચેતન વાળા ચેતજો

yamunaji kirtan bhajan in gujarati

સાખી
-------
હે...કુરુક્ષેત્ર ના મેદાન માં, કુંતી માતા પુત્ર પર કરે કલ્પાંત,
કૃષ્ણ જી ફૈબા ને વિનવે..., હે... તમે ગયેલા નો ના કરો શોક,
આપણે (૨), એ રસ્તે જવાનું જરૂર છે...
જે જન્મયો, તે મરવાનો...
હે...આજ નહિ તો કાલ, તૈયારી રાખજો...

ભજન
-------
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો,
આપણે એ રસ્તે જવાનું, એ પણ તમે ના ભૂલશો,

ચેતન વાળા ચેતજો, આ જીવન ચાલ્યું જાય છે,
જીવન ચાલ્યું જાય છે, આ દોરી ટૂંકી થાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

નાનપણમાં મીર ચેતી, હારી ના ગુણલા ગાય છે,
પગ માં બાંધી ઘૂઘરા ને ગીરધર ગોપાલ ગાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

બાળપણમાં શબરી ચેતી, વન માં ચાલી જાય છે,
ઋષિ મુની ના આશ્રમ છોડી રામ ત્યાં જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

પ્રભુની ભક્તિ, પતિની સેવા સતી અનસુયા કહેવાય છે,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા બાળક બની જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

વનરાવન ની કુંજ ગલી માં રાસલીલા થાય છે,
જોતા જોતા નારાસૈયાનો હાથ બળી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

ચલાલા ગામ ના 'જલા મંદિર' માં ભજન કીર્તન થાય છે,
તેમાં બેસી લાવો લેજો, આ ફેરો સુધારી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...


No comments:

Post a Comment